જામનગર જિલ્લાના હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનો નિષ્કામ સેવાના ભાવ સાથે પોતાની નિષ્ઠા પુર્વકની ફરજો અનુશાસન અને શિસ્ત સાથે બજાવતા હોય છે. જિલ્લા કમાન્ડન્ટની દરેક વિનંતીઓ સ્વીકારી જામનગર જિલ્લાના હોમગાર્ડઝ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ હંમેશા તત્પર રહેતા હોય છે. આવી જ નિષ્કામ સેવાની ભાવના સાથે જામનગર હોમગાર્ડઝ પરિવાર આ વર્ષથી વધુ એક સેવા આપવાની કોશિશ કરીએ છીએ.
જેમાં જામનગર થી માતાના મઢ કચ્છ-ભુજ ચાલીને જતાં પદયાત્રીઓ માટે ધુંવાવ પછી ખીમલીયાના પાટીયાથી આગળ ન્યુ કમલ ઓટો ગેરેજ., ટાટા મોટર્સ., ખાતે તમામ પદયાત્રીઓ માટે ઠંડા પીણાંની બોટલ., ફરાળી ચેવડાનું પેકેટ અને સાથે દરેક પદયાત્રીઓની પાસે રહેલ બેગમાંં રેડિયમ પટ્ટી લગાવી આપવાની સેવાઓ આપવામાં આવશે.
આ કેમ્પ તારીખ 22., 23., 24 અને 25 ના ચાર દિવસ સુધી રાખવામાં આવ્યો છે. આ કેમ્પનો લાભ લેવા તમામ પદયાત્રીઓને જિલ્લા હોમગાર્ડઝ પરિવાર તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે. એમ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા ની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech