જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરતા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફના પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના ભરતભાઇ ડાંગર, સલીમભાઇ નોયડા, ગોવિંદભાઇ ભરવાડને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે દાહોદના સુખસર પોલીસ સ્ટેશનના કલમ ૧૪૩, ૧૪૭, ૩૨૩, ૫૦૪ મુજબના તથા મારામારીના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતો ફરતો આરોપી રમેશ વાલા કિશોરી રહે. જાવેશી ગામ, તા. ફતેપુરા, જી. દાહોદવાળો હાલ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇગોરાળા ગામે વાડી વિસ્તારમાં રહે છે જે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી મળી આવતા તેને પકડી પાડી આગળની કાર્યવાહી માટે જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech