BREAKING NEWS

જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને અદ્યતન “એન્વાયરમેન્ટલ મોનિટરિંગ મોબાઇલ વ્હીકલ” ફાળવાયું

  • February 26, 2026 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ખરીદાયેલા બે EMMV પૈકી એક વાહન જામનગર-દેવભૂમિ દ્વારકામાં હવાની ગુણવત્તાની ચકાસણી કરશે

જામનગર તા.૨૬ ફેબ્રુઆરી,ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હવાની ગુણવત્તાની અસરકારક દેખરેખ માટે ૨ આધુનિક “એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલ” (EMMV) ની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી એક વાહન જામનગર સ્થિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને ફાળવવામાં આવ્યું છે.

પ્રાયોગિક ધોરણે આ  મોબાઇલ મોનીટરીંગ વાહન દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ વ્યાપક હવાની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. વાહનમાં આધુનિક યંત્રસામગ્રી સુસજ્જ છે, જેના માધ્યમથી પર્યાવરણ સંબંધિત વિવિધ પરિમાણોની માપણી કરી શકાશે.

​​​​​​​

મોબાઇલ વાહન દ્વારા સંકલિત કરવામાં આવેલા આંકડાઓનો વિગતવાર અહેવાલ ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને મોકલવામાં આવશે, જેથી રાજ્ય સ્તરે પર્યાવરણની સ્થિતિનું સતત નિરીક્ષણ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવી સરળ બનશે.

જામનગર અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા અંગે સમયસર અને સચોટ માહિતી પ્રાપ્ત થવાથી પર્યાવરણ સંરક્ષણ માટે વધુ અસરકારક આયોજન શક્ય બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application