હોલીકા ઉત્સવ અને ધૂળેટી પર્વને ખૂબ જ જુજ દિવસ બાકી રહ્યા છે ત્યારે જામનગરની બજારમાં અવનવી પીચકારીઓ આવી છે, રંગના પર્વ ધૂળેટીને ઉજવવા શહેરીજનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.
બજારમાં રૂ.પ૦ થી ૧પ૦૦ સુધીની પીચકારીઓ જોવા મળી રહી છે, ગત વર્ષ કરતા ભાવમાં ઉછાળો આવ્યો છે, ખાસ કરીને બાળકોને ગમતી પીચકારીઓમાં પોકીમોન, બેટમેન, દેશી બોયઝ, બેન્ટેન, ડોરેમોન, કાચબા સહિતની જોવા મળી રહી છે.
જામનગરમાં ખાસ કરીને રાજસ્થાની અને ઉત્તરપ્રદેશના પરપ્રાંતિયો દ્વારા વિશિષ્ટ રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે નવા આવેલ કલર ફાઉન્ટેન બાળકો સહિત મોટેરાઓમાં આકર્ષણ જમાવ્યું છે, હિન્દુ ધર્મમાં ધૂળેટી પર્વનું વિશિષ્ટ મહત્વ છે, હોલિકા ઉત્સવ અને ધૂળેટી પર્વને શ્રઘ્ધા અને ઉત્સાહપૂર્વક બાળકોથી લઇ વયોવૃઘ્ધ સુધીના લોકો ઉજવે છે, આ રંગોના પર્વને ઉજવવા માટે પરપ્રાંતિયો દ્વારકા ખાતે કાના સંગ રમવા આવે છે, હિન્દી ફિલ્મોમાં ધૂળેટીના ગીતો ખૂબ જ મોટા પ્રમાણમાં ગીતકારોએ લખ્યા છે, પીચકારી તેમજ કોરા રંગથી પણ લોકો ઉજવતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech