બટેકા ા. 40, ડુંગળી ા. 45, શાકના ભાવ વધવાથી સામાન્ય લોકો પણ મુંજાયા: ગુવાર, ભીંડો અને ફલાવરે સદી વટાવી: કોથમરી, પાલક, ફુદીના અને મેથીના ભાવ પણ વધ્યા
ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેની સીધી અસર શાકભાજી ઉપર થઇ છે. શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. આવક ઘટતાની સાથે શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. શાકભાજીનાં ભાવમાં લગભગ 35 થી 40 ટકા સુધી નો વધારો થયો છે.
શહેરમાં મોંઘવારીના માર વચ્ચે છેલ્લા અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં 35 ટકાનો વધારો નોંધાતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. ઉનાળાને લઈ ઓફ સીઝન હોવાથી જોઈએ તેટલા શાકભાજીની આવક થતી નથી. આમ આવક ઘટવાની સાથે ભાવ ઉંચકાયા છે. જેથી ગૃહિણીઓની ખરીદ શક્તિ પણ ઘટી છે. અગાઉ દોઢ કિલોથી બે કિલો જેટલા શાકની ખરીદી કરતા હતા, હવે અડધો કિલોની ખરીદી કરી રહ્યા છે. કઠોળનું ચલણ પણ વધ્યું હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં મોટાભાગે શાકભાજી મહારાષ્ટ્ર, અમદાવાદ અને સ્થાનિક બજારમાંથી આવે છે . પરંતુ હાલની સ્થિતિએ ઉનાળાના આકરા તાપને લઇને શાકભાજીનો પાક નિષ્ફળ નીવડ્યો છે. આ ઉપરાંત વરસાદને લઈને થોડા ધણા પાકમાં નુકસાની આવતી હોવાથી અને ઓછી સિંચાઈની સુવિધા હોવાથી પાકનું ઉત્પાદન ઘટયું છે. શાકભાજી સ્થાનિક બજારમાં જ વેચાઇ જાય છે. અહીં સુધી શાક પહોંચતું નથી અને જો શાકભાજી પહોંચે તે ગુણવત્તાની દ્રષ્ટિએ નબળું અને મોઘું હોય છે. પરિણામે હાલની દ્રષ્ટિએ શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે.
ગુવારની વાત કરીએ તો જે છેલ્લા દસ દિવસ અગાઉ 70 રૂપિયામાં વેચાતો ગુવાર હાલ વધીને 120 થી 130 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યો છે.ધાણાભાજીના ભાવ 120 રૂપિયાથી 135 રૂપિયા અને વટાણાના ભાવ પણ 130 રૂપિયાથી 135 રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે. 80 રૂપિયા ટમેટા, કોબીના 40 રૂપિયા ભાવ બોલતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. તે જ રીતે ડુંગળીમાં પણ ગરમીને લઈ ભાવ વધ્યો છે અને હાલ 50 રૂપિયા સુધી પહોચ્યો છે. ટમેટાનો ભાવ 80,ગુવાર 120 પિયા., કોબી 40 થી 45 ા., કોથમરી 130 ા., રીંગણા 40 ા. કાકડી લીંબુના 80 રૂ. મરચાં ા.80, દુધી 50 ા., પરવલ 80 થી 100, ગલકા 80, ફલાવર 130 થી 140 ા., ભીંડો 120 ા., લસણ ા. 140 થઈ ગયા છે.
આમ તમામ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જેથી સામાન્ય લોકોનું મહીનાનુ બજેટ ખોરવાઈ ગયું છે. ગૃહિણીઓ શાક ને બદલે કઠોળ વધુ ખરીદવા મજબુર થઈ છે કારણ કે કઠોળ શાકભાજી કરતાં સસ્તું છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોની થાળીમાંથી શાક ગાયબ થઈ ગયું છે.
બટેકા, ટમેટા, ડુંગળી જેવા લોકપ્રિય શાકના ભાવ વધતા સામાન્ય લોકોને ખુબ હાલાકી ભોગવવી પડે છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં મોંઘવારીનો માર મધ્યમ વર્ગને સહન કરવાનો વારો આવ્યો છે. હાલ શાકભાજીની આવક ઓછી છે અને જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ શાકની આવક હજુ પણ ઘટશે તેવી લોકોમાં ભીંતી છે.
લોકોનું એવું પણ કહેવું છે કે શાકભાજીની કાળાબજારી પણ થઈ રહી છે, શાકભાજીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે જેથી કૃત્રિમ રીતે શાકભાજીનો ભાવ વધારી શકાય. લોકોની એવી માગણી છે કે શાકભાજીના ભાવમાં ઘટાડો કરવામાં આવે જેથી મધ્યમ વર્ગના લોકોની થાળી સુધી શાક પહોંચી શકે.
પૌષ્ટિક આહાર લેવા ડોક્ટર અવારનવાર સલાહ આપે છે પણ શાકભાજીના ભાવમાં વધારો થતાં સૌથી વધુ પૌષ્ટિક ગણાતાં લીલા શાકભાજી લોકોને મળતાં જ નથી અને જે મળે છે તે સામાન્ય લોકોની ખરીદશક્તિની અને બજેટની બહાર હોય છે.
ગૃહિણીઓનુ કહેવું છે કે શાકભાજીની અવેજીમાં અમારે કઠોળ ખાવા પડે છે. મોટા લોકો સમજીને કઠોળ ખાઈ લે છે પરંતુ નાના બાળકોને કઠોળ નથી ભાવતું જેથી બાળકો દરરોજ અડધા ભુખ્યા રહે છે અને આ અમારાથી જોઈ નથી શકાતું પણ અમે કરીએ પણ શું શાક બહું મોંઘું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદીજી, મને એક સુસાઈડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઈશ: કર્ણાટકના મંત્રી
May 03, 2025 04:20 PM17 વર્ષની સગીર મોડેલને જ્યુસ પીવડાવી બેભાન કરી રીબડાના શખસે દુષ્કર્મ આચર્યું
May 03, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech