જાપાન ભૂકંપના ભયના લીધે ટોકયો ઉપરાંત બીજી રાજધાની બનાવશે
જાપાન ભૂકંપના ભયના લીધે ટોકયો ઉપરાંત બીજી રાજધાની બનાવશે
July 30, 2026 02:20 PM
ભૂકંપના ભયને કારણે જાપાન સરકાર ટોકયોમાં બીજી રાજધાની સ્થાપિત કરવાની તૈયારી કરી રહી છે. સનાઓ તાકાચીની સરકારે આ માટે એક સૂચના જારી કરી છે. જાપાની સરકાર કહે છે કે આ નિર્ણય ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ટોકયોને ૧૮૬૮માં જાપાનની રાજધાની તરીકે માન્યતા આપવામાં આવી હતી. જાપાની સરકારે બીજી રાજધાની સ્થાપિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જો કે, આ પ્રસ્તાવથી જાપાનમાં વિવાદ થયો છે. જાપાની વિરોધ પક્ષો કહે છે કે તેનાથી જાપાન ઇનોવેશન પાર્ટીને ફાયદો થશે.