ચેક રીટર્નના કેસમાં સાવરકુંડલાના કણજારીયા ગામના ઇસમને પોરબંદરની કોર્ટે એક વર્ષની સજા અને બમણી રકમ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.
અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરમાં રહેતા કેતનભાઇ ચનાભાઇ ઓડેદરા, રહે. ખાપટવાળા તથા ભરતભાઇ ઉકાભઇ કારાવદરા, રહે. છાયા, પોરબંદરવાળાએ તેના વકીલ સાથે કોર્ટમાં હાજર રહી ફરિયાદ આપેલી હતી કે આરોપી વિઠ્ઠલભાઇ રવજીભાઇ વડોદરીયા, રહે. કળજારીયા, તા. સાવરકુંડલાવાળા તથા ફરીયાદીઓ પથ્થર લે-વેચનો ધંધો કરતા હોય અને તે રીતે આરોપી પાસેથી થયેલ વ્યાપારિક લેણા પેટે બાકી નીકળતી રકમનો આરોપીએ સાત-સાત લાખના ચેકો પોતાની સહી કરી ફરીયાદીઓના નામજોગ લખી આપતા ફરીયાદીએ તેના વચન, વિશ્ર્વાસના આધારે ચેકો સ્વીકારી પાકતી તારીખે ચેકો વટાવવા નાખતા તે ચેકો વણચુકવ્યા પરત ફરતા તે અંગેની નોટીસ વકીલ મારફતે આરોપીને કરતા આરોપીએ ચેકો મુજબની રકમ આપેલ ન હતી. જેથી ફરીયાદીએ કોર્ટમાં એન.આઇ. એકટની કલમ -૧૩૮મુજબની ફરિયાદ દાખલ કરેલ હતી. જે બાદ સદરહુ કેસની પોરબંદર પ્રિન્સિપાલ સીનીયર સિવિલ જજની કોર્ટમાં ટ્રાયલ ચલાવવા માટે આવતા ટ્રાયલ પણ ચાલેલ. જેમાં કોર્ટ દ્વારા આરોપીને કોર્ટે સમન્સ કરી હાજર રહેવાનું જણાવતા આરોપી તેમના વકીલ સાથે હાજર થતા તેઓને કેસપેપર્સની નકલ પૂરી પાડવામાં આવેલી અને તેઓએ ગુન્હો કર્યા અંગેનો ઇન્કાર કરી કેસની ટ્રાયલ ચલાવવાનું પસંદ કરેલ, જેથી ફરીયાદ કેતનભાઇ ચનાભાઇ ઓડેદરા, રહે. ખાપટ તથા ભરતભાઇ ઉકાભાઇ કારાવદરા, રહે. છાયા પોરબંદરવાળાઓએ સોગંદ પર જુબાની આપતા તેઓની ઉલટ તપાસ પણ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી અને આમ, ફરીયાદી તરફે દસ્તાવેજી પુરાવાઓમાં અસલ ચેકો, બેંક દ્વારા મળેલ રીટર્ન મેમો, આરોપીને આપેલ નોટીસની કલક, વગેરે રજુ રાખેલ.
ત્યારબાદ આરોપી તરફે કોઇ પુરાવો રજૂ થયેલ ન હતો, આરોપીનું વિશેષ નિવેદન લેવામાં આવેલ અને ત્યારબાદ બન્ને પક્ષના વકીલો દ્વારા સામસામી દલીલો કરવામાં આવેલી, જેમાં ફરીયાદ તરફે પોરબંદરના વકીલજે.પી.ગોહેલની ઓફીસ વતી તેઓની ટીમના ચુનંદા વકીલો રોકાયેલા અને જેઓએ ધારદાલ દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રીફર કરી આરોપીએ એન.આઇ.એકટની કલમ-૧૩૮ મુજબ ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ હોય અને તે કામે સખ્ત સજા તથા બમણો દંડ કરવા કોર્ટને અરજ કરેલ.
આમ, બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાતના ન્યાયતંત્રમાં અનોખી ઓળખ અને અગલ છાપ ધરાવતા પોરબંદરના અધિક ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ અને પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજ બી.જે. પટેલે વિસ્તારથી ચુકાદો આપી આરોપી વિઠ્ઠલભાઇ રવજીભાઇ વડોદરીયા રહે. કળજારીયા, તા. સાવરકુંડલાવાળાને એન.આઇ.એકટની કલમ -૧૩૮ તથા ૧૪૨ના ગુન્હામાં તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ તથા વધુમાં ફરિયાદીઓને આરોપીઓએ વળતર પેટે ચેકની બમણી રકમ પિયા ચૌદ લાખ ચુકવવાનો હુકમ કરી આરોપીના જામીન તથા જામીન ખત રદ્ કરી જ્યુડી. કસ્ટડીમાં લેવાનો હુકમ અદાલતમાં જાહેર કરેલ હતો.
આ કામમાં ફરિયાદી તરફે જે.પી.ગોહેલની ઓફિસ વતી એડવોકેટ એમ.જી. શીંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી, વી.જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, જિજ્ઞેશ ચાવડા, મયુર સાવનીયા, પી.બી. પરમાર તથા રીનાબેન ખુંટી રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech