પાલીતાણા તાલુકાના હસ્તગિરિ, મુંડકીધાર, હાથસણીના ડુંગરોમાં ગત શનિવારે ના લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી વિરાટ બની હતી.દરમ્યાન પવનની ઝડપ ઘટી જતાં સૂક્ષ્મ ગતીથી ધીમે ધીમે કુદરતી રીતે ત્રણેય ડુંગરોમાં લાગેલી આગ બુઝાઈ જતા તંત્ર અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
સતત ૪ દિવસથી ડુંગરોમાં આગ આટલી વિકરાળ બની હતી કે જે સ્થળે પણ પહોચવુ બન્યું હતું અને ફાયર પણ પહોચી શક્યું ન હતું. દરમ્યાન આગ કુદરતી બુઝાઈ હતી, પાલીતાણા ફાયર વિભાગ તેમજ તંત્રને મેહનત બાદ પણ આગે ત્રણેય ડુંગરોમાં વિશાળ ઘેરાવામાં ફેલાય જતાં હાલ સમયમાં આગ ને બુઝાવવી મુશ્કેલ બની છે, સતત ૪ દિવસથી વિશાળ ઘેરાવામાં ફેલાયેલી વિકરાળ આગ ના લીધે કરોડો નાના જીવ જન્તુઓ તેમજ અસંખ્ય વનસ્પતિઓ બળી ને ખાખ થઈ જવા પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આખરે આગ કુદરતી બુઝાઈ જતા તંત્ર તેમજ લોકોને રાહત થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech