બગસરાના સાપર ગામે ગઈ રાત્રિ દરમિયાન સિંહો દ્રારા શાપર ગામ ની અંદર આવેલા વિસ્તારમાં એક ભરવાડ ના વંડામાં ઘૂસીને એક સાથે ૩૨ જેટલા ઘેટા બકરાનું મારણ કરવામાં આવ્યું હતું. જેને લઈને ફફડાટ ફેલાયો છે.
બગસરા નજીક આવેલા શાપર ગામ યાં અવારનવાર સિંહો દ્રારા ઢોર તેમજ ઘેટા બકરા પર મારણ કરવાના કિસ્સા બની રહ્યા છે,ત્યારે ગઈકાલે સિંહો દ્રારા રહેણાક વિસ્તારમાં ઘૂસી સોમાભાઈ પાંચાભાઇ શિયાળના વંડામાં એક સાથે ૩૨ જેટલા ઘેટા બકરા બાંધેલા હતા તેની ઉપર હત્પમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા યારે દસેક જેટલા ઘેટા બકરા ઇજાગ્રસ્ત પણ થયા હતા, યારે આ બાબતની જાણ વન તંત્રને કરતા જંગલ ખાતું ત્યાં તત્કાલ દોડી આવેલું હતું. અને આ તમામ મૃતક ઘેટા બકરાને ઘટના સ્થળેથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ ભરવાડ સમાજ તેમજ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. યારે વન તત્રં દ્રારા આવા હિંસક પ્રાણી જેવા કે સિંહ અને દીપડાને સાપર ગામની હદ માંથી ખદેડવામાં આવે તેવી લોકોમાં માંગ પણ ઉઠી હતી. યારે આ ભરવાડ સમાજ દ્રારા જેવો પોતાનું ગુજરાત આ ઘેટા બકરાના સહારે ચલાવતા હતા તેને વળતર ચૂકવવામાં આવે જેથી કરીને તેઓ ફરી પોતાનું ગુજરાન ચલાવવા માટે નવા ઘેટા બકરાની ખરીદી કરી શકે તેવી માંગ કરવામાં આવી છે.આવી ઘટના બનતા લોકોમાં ઓહાપો પણ મચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech