બગસરાના સાપર ગામે સિંહે ૩૨ જેટલા ઘેટાં–બકરાંનું મારણ કરતા ફફડાટ

  • June 11, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરાના સાપર ગામે ગઈ રાત્રિ દરમિયાન સિંહો દ્રારા શાપર ગામ ની અંદર આવેલા વિસ્તારમાં એક ભરવાડ ના વંડામાં ઘૂસીને એક સાથે ૩૨ જેટલા ઘેટા બકરાનું મારણ કરવામાં આવ્યું હતું. જેને લઈને ફફડાટ ફેલાયો છે.
 બગસરા નજીક આવેલા શાપર ગામ યાં અવારનવાર સિંહો દ્રારા ઢોર તેમજ ઘેટા બકરા પર મારણ કરવાના કિસ્સા બની રહ્યા છે,ત્યારે ગઈકાલે સિંહો દ્રારા રહેણાક વિસ્તારમાં ઘૂસી સોમાભાઈ પાંચાભાઇ શિયાળના વંડામાં એક સાથે ૩૨ જેટલા ઘેટા બકરા બાંધેલા હતા તેની ઉપર હત્પમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા યારે દસેક જેટલા ઘેટા બકરા ઇજાગ્રસ્ત પણ થયા હતા, યારે આ બાબતની જાણ વન તંત્રને કરતા જંગલ ખાતું ત્યાં તત્કાલ દોડી આવેલું હતું. અને આ તમામ મૃતક ઘેટા બકરાને ઘટના સ્થળેથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ ભરવાડ સમાજ તેમજ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. યારે વન તત્રં દ્રારા આવા હિંસક પ્રાણી જેવા કે સિંહ અને દીપડાને સાપર ગામની હદ માંથી ખદેડવામાં આવે તેવી લોકોમાં માંગ પણ ઉઠી હતી. યારે આ ભરવાડ સમાજ દ્રારા જેવો પોતાનું ગુજરાત આ ઘેટા બકરાના સહારે ચલાવતા હતા તેને વળતર ચૂકવવામાં આવે જેથી કરીને તેઓ ફરી પોતાનું ગુજરાન ચલાવવા માટે નવા ઘેટા બકરાની ખરીદી કરી શકે તેવી માંગ કરવામાં આવી છે.આવી ઘટના બનતા લોકોમાં ઓહાપો પણ મચી ગયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News