જામનગર એસટી ડીવીઝન દ્વારા ફાળવાઈ એકસ્ટ્રા બસ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.૧૫ જૂન રવિવારના રોજ સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ વાગ્યા સુધી લોકરક્ષક કેડર-એલઆરડીની લેખિત પરીક્ષા યોજાનાર છે. જેમાં રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર સહિત કુલ સાત કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.
રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી અંદાજિત ૨.૪૮ લાખ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેશે ત્યારે જામનગર એસટી વિભાગ દ્વારા ઉમેદવારો માટે એકસ્ટ્રા બસ સહિતનું સંચાલન કરવામાં આવ્યું છે તેમ વિભાગીય નિયામક જાડેજાએ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપોથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા. ૧૪ અને તા.૧૫ જૂન દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.
જેમાં જામનગર ડેપોમાંથી ૫ અને અન્ય ડેપોમાંથી ૨ બસનું સંચાલન કરાશે તેમજ ઉમેદવારોનો ઘસારો જોવા મળશે તો એકસ્ટ્રા બસનું સંચાલન પણ કરવામાં આવશે અને ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech