જામનગર : કાલાવડમાં પતંગ પકડવા ગયેલા તરૂણનું વિજઆંચકાથી મૃત્યુ
જામનગર : કાલાવડમાં પતંગ પકડવા ગયેલા તરૂણનું વિજઆંચકાથી મૃત્યુ
January 06, 2026 01:36 PM
કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં રહેતા એક તરૂણ કપાયેલી પતંગ લેવા માટે જતા અકસ્માતે વિજ થાંભલામાં અડી જતા કરન્ટ લાગવાથી તેનું મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો.
કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં રહેતા નફીસ અહેમદ ઇદરીશભાઇ સોલંકી (ઉ.વ.૧૭) નામનો તરૂણ પતંગ લેવા જતા થાંભલામાંથી ઇલેકટ્રીક શોક લાગતા બેભાન અવસ્થામાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જયાં તેમનું મૃત્યુ થયાનું જણાવાયુ હતું.
આ બનાવ અંગે કુંભનાથપરામાં રહેતા ઇદરીશ નુરમામદભાઇ સોલંકીએ ટાઉન પોલીસમાં જાણ કરી હતી આ બનાવના પગલે પરિવાર સહિતમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું.