છોટીકાશી કહેવાતા જામનગરમાં આજે જેઠ માસની પૂર્ણિમાએ વટસાવિત્રી વ્રતની ઉજવણી નિમિત્તે પરીણીતાઓ દ્વારા પરંપરાગત રીતે વડ પૂજન કરવામાં આવ્યું હતું.સાવિત્રી દેવી પોતાનાં તપોબળથી યમરાજ પાસેથી પોતાનાં પતિનો ઔજીવ પરત લાવ્યા હતા એ પૌરાણિક કથા અનુસાર પરીણીતાઓ પતિનાં દિધર્યિુ માટે આજે વ્રત કરી વડપૂજન કરે છે. આ વ્રતમાં દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે. સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે તથા યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે.જામનગરમાં હવાઇ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ સવાસો વર્ષથી વધુ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરે વટ સાવિત્રી વ્રતની ઉજવણી માટે પરીણીતાઓ ઉમટી પડી હતી. મંદિર પરીસરમાં આવેલ વડલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા પરીણીતાઓને વિધીવત પૂજન કરાવી વ્રતની કથા સંભળાવવામાં આવી હતી. આ ઉપરાંત પણ વિવિધ વડનું વૃક્ષ ધરાવતા વિવિધ મંદિરોમાં વટસાવિત્રી વ્રત ઉજવાયું હતું અને પરીણીતાઓએ બહોળી સંખ્યામાં પૂજન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech