રાજકોટના રાજારામ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાના આગની ઘટના સામે આવી છે. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને 15-20 કિમી સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
હાલમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટા સ્થળે દોડી ગઈ ચેહ અને આગને કાબુમાં લેવા કામગીરી ચાલુ થઇ ગઈ છે. ઘટના સ્થળે 5 ફાયરની ગાડીઓ મોકલવામાં આવી છે.
ઘટનાસ્થળે 50 થી વધુ ફાયરના જવાનોની ટીમ પહોંચી છે. આગ 2 કલાક પહેલા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગને કાબુમાં લેવા ફાયરની ટીમ દ્વારા કેમિકલ યુક્ત પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. એસીપી સહિતનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને લોકોને ત્યાંથી દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.
છેલ્લા થોડા સમયથી રાજકોટમાં આગના બનાવનું પ્રમાણ વધી રહ્યું હોય આવું જોવા મળે છે. થોડા સમય પહેલા ધૂળેટીના દિવસે પણ રાજકોટમાં એટલાન્ટીસ બિલ્ડીંગમાં આગની ઘટના બની હતી. જેમાં 3 લોકો મૃત્યુ પામ્યા હતા. એ પહેલા લોકોને હચમચાવી મૂકે આવી ટીઆરપીની ઘટનામાં માસૂમ બાળકો સહિત 27 લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા.
હાલ રાજારામ ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગ પાછળનું કારણ જાણી શકાયું નથી. ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech