સૌરાષ્ટ્રના 39 તાલુકામાં મેઘરાજાની મહેર : ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આજે સવારથી મેઘસવારી

  • June 16, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સરહદ ઉપર અટકી ગયેલા ચોમાસાએ શનિવારથી ધમાકેદાર એન્ટ્રી કર્યા હતા બાદ ગઈકાલે પણ મેઘરાજા મક્કમ ગતિથી આગળ વધી રહ્યા હોય તેમ આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 39 તાલુકામાં ઝાપટા થી માંડીને ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે. જેમાં ભાવનગરના સિહોર, વલ્લભીપુર પંથકમાં બે થી ત્રણ ઇંચ, અમરેલીના ખાંભા પંથકમાં અઢી ઇંચ, જૂનાગઢના મેંદરડા, વિસાવદર, કેશોદ, વંથલી, જુનાગઢ પંથકમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો.સાથે આજે સવારે પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં મેઘસવારી આગળ વધી રહી હતી.

શનિવારે સાંજે સૌરાષ્ટ્રના રાજકોટ ગોંડલ અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી ગયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન ચાલુ રહેલી મેઘ સવારીમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સિહોર ખાતે ત્રણ ઇંચ વલભીપુર બે પાલીતાણા મહુવા ભાવનગર, ઉમરાળા પંથકમાં ભાથી પોણો ઈંચ ગારીયાધાર અને જેસરમાં ઝાપટા વરસ્યા હતા.

અમરેલીના ખાંભામાં અઢી જ્યારે રાજુલા અમરેલી શહેર કુકાવા જાફરાબાદ બગસરા ધારી પંથકમાં ઝાપટાથી માંડીને પોણો ઈંચ, જુનાગઢ જિલ્લામાં મેંદરડા વિસાવદર કેશોદ વંથલી પંથકમાં દોઢ ઇંચ ત્યારે જુનાગઢ માણાવદર ભેસાણ માળીયાહાટીના પંથકમાં ઝાપટા થી માંડીને એક ઇંચ વરસાદ નોંધાયો છે, ગીર સોમનાથના કોડીનારમાં એક ઇંચ જ્યારે તાલાલા પા ઇંચ અને સુત્રાપાડામાં ઝાપટા પડ્યા હતા.

રાજકોટ જિલ્લામાં ધોરાજી ઉપલેટા ગોંડલ જેતપુર પંથકમાં સાપ્તાહથી માંડીને અડધો ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો. જ્યારે મોરબીના વાંકાનેરમાં અડધો ઇંચ જામનગરના જામજોધપુર જોડિયા પંથકમાં બોટાદના રાણપુર બરવાળા પંથકમાં પણ પા ઇંચ અને સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News