જામનગરમાં એક માત્ર એમ્યુઝમેન્ટ પાર્કમાં ફુવારાના પાણીમાં પારાવાર ગંદકી...

  • June 16, 2025 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં મહાનગરપાલિકાનો એક માત્ર એમ્યુઝમેન્ટ પાર્ક આવેલો છે. જેમાં ઘણા સમયથી રાઇડસ બંધ છે. જેના કારણે વેકેશનમાં પણ બાળકો મનોરંજનના સાધનોની મોજ માણી શક્યા ન હતા, આટલું ઓછું હોય તેમ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફુવારો આવેલો છે.

​​​​​​​જે સપ્તાહમાં ૩ દિવસ ચાલુ કરવામાં આવે છે, પરંતુ આ ફુવારાના પાણીમાં લીલ અને શેવાળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આટલું જ નહીં ફુવારાના પાણીમાં પ્લાસ્ટીકની બોટલ સહિતની ગંદકી પણ પ્રવર્તી રહી છે. ત્યારે ફુવારાના પાણીની સફાઇ કરવામાં મહાનગરપાલિકા દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News