કેન્દ્ર સરકારે પહેલીવાર યુપીએસસી (UPSC) ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન વખતે તથા પરીક્ષા અને ભરતીના જુદા જુદા તબક્કાઓ દરમિયાન સ્વૈચ્છિક આધારે ઉમેદવારોને વેરિફિકેશન કરાવવા માટે આધાર આધારિત વેરિફિકેશન કરાવવાની મંજૂરી આપી દેવાનો નિર્ણય લીધો છે.
આ પગલું એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે આયોગે ગત મહિને પ્રોબેશનરી આઈએએસ અધિકારી પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી હતી. આયોગે યોગ્યતાથી અલગ સિવિલ સેવા પરીક્ષામાં ગરબડ કરવાને લીધે ખેડકર સામે ભવિષ્યમાં કોઈપણ પરીક્ષામાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સરકારનું આ પગલું પૂજા ખેડકરના કેસ સાથે જ જોડીને જોવાઈ રહ્યું છે.
ખેડકર સામે દિવ્યાંગતા અને અન્ય પછાત વર્ગ કે ઓબીસી (નોન ક્રિમી લેયર) ક્વૉટાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. ડીઓપીટી મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે યુપીએસસીએ વન ટાઈમ રજિસ્ટ્રેશન પોર્ટલ પર રજિસ્ટ્રેશન વખતે અને પરીક્ષા કે પછી ભરતીના જુદા જુદા તબક્કા દરમિયાન ઉમેદવારોની ઓળખ કરવા માટે સ્વૈચ્છિક આધારના આધારે વેરિફિકેશન કરવાની મંજૂરી આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech