રાજકોટના ત્રંબા નજીક વડાળી ગામે કૌટુંબિક કાકાની ભત્રીજાએ છરી વડે હુમલો કરતા યુવકને છરીનો ઘા ઊંડો લાગી જવાથી મોત નીપજ્યું હતું. બનાવ હત્યામાં પલટાતા પોલીસે કાર્યવાહી કરી છે. કૌટુંબિક કાકા-ભત્રીજો સાંજે સાથે બેઠા હતા ત્યારે મોબાઈલમાં સ્ટેટ્સ જોવા બાબતે બંને વચ્ચે ઝગડો થયા બાદ ભત્રીજો ઘરે ચાલ્યો ગયો હતો અને થોડીવાર બાદ આવી છરીથી હુમલો કરતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-ભાવનગર રોડ પર ત્રંબા નજીક વડાળી ગામે રહેતા ભરત નાગજીભાઈ મુછડીયા (ઉ.વ.32)નો યુવક રવિવારે રાત્રે આઠેક વાગ્યે ગામમાં જ રહેતા કૌટુંબિક ભત્રીજા અજય જગદીશભાઈ મુછડીયા સાથે ઘર નજીક બેઠો હતો ત્યારે બંને મોબાઈલમાં સ્ટેટ્સ જોતા હતા દરમિયાન બંને વચ્ચે સ્ટેટ્સ જોવા બાબતે ઝગડો થતા ત્યાં ગામના લાલાભાઇ નામના વ્યક્તિએ વચ્ચે પડી બંનેનું સમાધાન કરાવ્યું હતું. બાદમાં અજય ઘરે ચાલ્યો ગયો હતો અને થોડીવાર બાદ ઘરથી છરી લઈને આવી ભરત ઉપર હુમલો કરતા છરીનો ઘા ભરતને પડખામાં લાગી જતા લોહી લુહાણ હાલતમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર ભરત કડિયાકામ કરતો હતો અને ત્રણ ભાઈ બહેનમાં મોટો હતો. સંતાનમાં બે પુત્રો છે. યુવકના મોતથી પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે. પોલીસે મૃતકના ભાઈ મયુર રાજાભાઈ મુછડીયાની ફરિયાદ પરથી અજય જગદીશભાઈ મુછડીયા સામે ગુનો નોંધી સંકજામાં લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech