સગીરાને મોરબીના વિધર્મી યુવકે ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુન્હામાં પકડાયેલ આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી પરત લેવાની ફરજ પડી હતી.
વધુ વિગત મુજબ ગત તારીખ : ૧૩/ ૦૨/ ૨૦૨૪ના રોજ મોરબી ખાતે રહેતા યુવાને સગીર વયની બહેન ગુમ થયા અંગેની તાલુકા પોલીસ ફરીયાદ આપી હતી. તેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મોરબીનો રમજાન બ્લોચ નામનો શખ્સ સગીરાને લલચાવી, ફોસલાવી પોતાનું નામ છુપાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યાનું બહાર આવતા, પોલીસે પોકસો સહિતની કલમો મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરતા તેણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે સામે મૂળ ફરીયાદી તરફે વાંધાઓ તથા મહત્વના ચુકાદાઓ હાજર રાખી, વિશેષ ધારદાર દલીલો કરી હતી, દરમિયાન હાઇકોર્ટનું વલણ આરોપીની જામીન અરજી રદ થવાની હોઈ તેવું જણાતા આરોપી રમજાન બ્લોચે હાઇકોર્ટ માંથી જામીન અરજી પરત લેવાની ફરજ પડી હતી. આ કામમાં ફરીયાદી વતી વિઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટસના વકીલ ચેતન વિઠલાપરા, સાગર સરવૈયા, વિજય વણઝારા, રીતુસિંહ, લવજી ભજગોતર, કિરીટ ગોહિલ, જયદીપ બથવાર, સંજય ચાવડા, એમ. એમ. રાઠોડ, દક્ષાબેન બથવાર, કિશન ભીમાણી, હિરેન વિઠલાપરા, એસ. સી. વિઠલાપરા, હિરેન ખીમસુરીયા, ભાવેશ વોરા, વિનોદ ચૌહાણ, સચિન દેસાઈ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech