મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ મધ્યમ રહેવા પામી હતી અને ઠંડીનું પ્રમાણ પણ સામાન્ય રહ્યું હતું.મકરસંક્રાતના બીજા જ દિવસે ઠંડીનું જોર વધી ગયું છે અને ગિરનાર પર્વત, ગાંધીનગર અને નલિયામાં લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં આવી ગયું છે. આજે રાજકોટ, દમણ અને ગિરનાર પર્વત ઉપર વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું હતું અને તેના કારણે ધુમ્મસ જોવા મળી હતી. સમગ્ર રાયમાં સૌથી નીચું તાપમાન ગીરનાર પર્વત ઉપર ૭.૫ ડિગ્રી હતું. જુનાગઢ શહેરમાં ૧૨.૫ અને ભવનાથ તળેટીમાં ૧૦.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકાએ પહોંચી જતા સવારે ધુમ્મસ છવાયું હતું. રાજકોટમાં ગઈકાલેની સરખામણીએ આજે લઘુતમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે અને આજે ૧૨.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. રાજકોટમાં સવારે ભેજનું પ્રમાણ ૯૧ ટકા રહ્યું હતું અને ધુમ્મસનો ચમકારો અનુભવાયો હતો. નલિયામાં ગઈકાલે ૧૦.૪ અને આજે ૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં ૧૪.૮ દ્રારકામાં ૧૭.૧ ઓખામાં ૨૦.૨ પોરબંદરમાં ૧૫.૬ વેરાવળમાં ૧૮.૧ સુરેન્દ્રનગરમાં ૧૩.૨ કંડલામાં ૧૫.૬ વડોદરામાં ૧૨ અમદાવાદમાં ૧૧.૧ દિશામાં ૧૦.૨ અને સુરતમાં ૧૫.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલથી લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ચાર દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઐંચકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech