રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા ધી બોમ્બે નર્સિગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૪૯ અંતર્ગત રાજકોટ શહેરી વિસ્તારની તબીબી સંસ્થાઓ જેવી કે કલીનીક, હોસ્પિટલ, ડીસ્પેન્સરી, લેબોરેટરી વગેરેની નોંધણી કરવામાં આવતી હતી જે કામગીરી ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ-૨૦૨૧ તેમજ ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ રૂલ્સ-૨૦૨૨ અમલમાં આવતા બંધ કરવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ-૨૦૨૧ અંતર્ગત જાહેર તથા ખાનગી તથા ટ્રસ્ટ સંચાલિત તબીબી સંસ્થાઓ જેવી કે, કલીનીક, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, લેબોરેટરી, એક્ષ-રે અને ઈમેજીંગ સેન્ટરોએ નોંધણી કરાવવી આવશ્યક છે. આ અધિનિયમ અંતર્ગત માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, સિદ્ધ અને યુનાની સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ નોંધણી કરાવવી ફરજીયાત છે જે માટે રાજકોટ શહેરીની તમામ તબીબી સંસ્થાઓને ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ - ૨૦૨૧ હેઠળ https://clinicalestablishment.gipl.in વેબસાઈટ પર લોગીન કરીને સત્વરે રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવવામાં આવે છે.
આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું કે જો આપની સંસ્થા બાયોમેડીકલ વેસ્ટ જનરેટ ના કરતું હોય તો તે અંગેની બાહેધરી રજુ કરવા અને જો આપની સંસ્થાની હાઈટ ૯ મીટર કરતા ઓછી અને ૫૦૦ સ્ક્વેર મીટર કરતા ઓછી હોય તો તેની બાહેધરી રજુ કરવા જણાવવામાં આવે છે. વધુમાં આ અંગે આપને કોઈ પ્રશ્ન હોય તો support-cea@gujarat.gov.in પર ઈ-મેલ કરવા તેમજ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, રાજકોટનો સંપર્ક કરવા માટે આથી જણાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech