ગુજરાત સરકાર દ્વારા ’નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં એન.ડી.પી.એસના કેસો કરવામા આવેલ જેમાં એન.ડી.પી.એસ નો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ હોય જે નાશ કરવા માટે મહે.પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી ક્રાઇમ એન્ડ રેલ્વેઝ ગાંધીનગર (એન.ડી.પી.એસ સેલ) અને ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર ના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલની સૂચના મુજબ એન.ડી.પી.એસ કેસોમા કબ્જે કરેલ મુદ્દામાલ નાશ કરવા પોતાના અધ્યક્ષ સ્થાને (ઉઉઈ) ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી હેઠળ આર.વી ડામોર, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભાવનગર, ડી.યુ સુનેસરા પોલીસ ઇન્સપેકટર, એસ.ઓ.જી શાખા ભાવનગર અને આર.એ વાળા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી શાખા,ભાવનગર દ્વરા કમિટિમા ભાવનગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથક ગુનાના કબ્જે કરેલ એન.ડી.પી.એસનો મુદ્દામાલ જેમા કુલ ગાંજો ૬૩ કિલો ૪૭૫ ગ્રામ, પોષડોડા ૧૧૭ કિલો ૨૨૫ ગ્રામ તથા અફીણ ૩૫ કિલો ૮૬ ગ્રામ જેની કુલ કિંમત ૧૩,૪૫,૦૨૫ નો નાશ કરવા કોર્ટ માંથી મંજુરી મેળવી ભાવનગરના પોલીસ ઇન્સપેકટર ડી.યુ સુનેસરા અને એસ.ઓ.જી સ્ટાફ દ્વારા દહેજ બેલ ઇન્ફાસ્ટ્રકચર લિમિટેટ કંપની ખાતે એન.ડી.પી.એસ નો મુદ્દામાલ નાશ કરવામા આવ્યો હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર ડી.યુ સુનેસરા ના માર્ગદર્શન હેઠળ અજઈં વિજયસિંહ ગોહિલ, મહાવીરસિંહ ગોહિલ, ઇંઈ યોગીનભાઇ ધાંધલ્યા, ઠઙઈ ભારતીબેન ચાવડા તથા ઉઙઈ પ્રતાપસિંહ પરમાર જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech