રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી મિટિંગમાં હાજરી આપવા માટે આવેલા ગુજરાત સરકારના કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે સર્કીટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટીઆરપી અિકાંડ મામલે તપાસ ચાલી રહી છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા સહિતના કોઈ ભ્રષ્ટ્રાચારીઓને છોડવામાં નહીં આવે.
પ્રભારી મંત્રી રાઘવજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટ્રાચારના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઝીરો ટોલરન્સ નીતિ છે અને તે મુજબ સાગઠીયા કે અન્ય કોઈપણને છોડવામાં નહીં આવે.
અિકાંડના મામલે અમુક પદાધિકારીઓની પણ ભૂમિકા બહાર આવી રહી છે તે બાબતે તમાં શું કહેવું છે ?તેવા સવાલના જવાબમાં રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે વેટ એન્ડ વોચ.
ખેડૂતોના મામલે ટેકાના ભાવની ચર્ચા કરવા માટે આજે કલેકટર કચેરીમાં બેઠક મળી હતી. તે પૂર્વે રાઘવજીભાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હજુ વાવેતર શ થયું નથી ત્યાં કેન્દ્ર સરકારે ૧૪ જણસીના ટેકાના ભાવ જાહેર કરી દીધા છે. ખેડૂત વાવેતર કરે અને માલ બજારમાં આવે ત્યાં સુધીમાં ભાવમાં ઘણી વધઘટ થઈ જતી હોય છે. ખેડૂતોને ઉત્પાદનક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ જાહેર કરાતા હોય છે. ખુલ્લા બજારમાં યારે ભાવ ઓછા હોય ત્યારે ખેડૂતો પાસેથી સરકાર ખરીદી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech