સવા માસ પૂર્વે રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા ફરીદાબેનના મકાન પર માજીદ અને તેના સાગરીતોએ સોડા બોટલોના ઘા કર્યા હતા જેની જાણ થતાં પ્ર.નગર પોલીસની ટીમ અહીં પહોંચી હતી આ સમયે કોન્સ્ટેબલ રિયાઝભાઈ સહિત બે પોલીસમેન સ્લમ ક્વાર્ટરમાં માજીદને પકડવા માટે ગયા હતા ત્યારે અહીં માજીદ તથા તેના સાગરીતોએ કોન્સ્ટેબલ સાથે મારકૂટ કરી તેમના વાહનોમાં તોડફોડ કરી તેમને અહીંથી ભગાડી મૂક્યા હતા.
હુમલાની આ ઘટના બાદ માજીદના સાગરીતો ઝડપાઈ ગયા હતા. પરંતુ કુખ્યાત માજીદ પોલીસને હાથ લાગ્યો ન હતો એક વખત પ્ર.નગર ની ટીમ તેને પકડવા પહોંચી ત્યારે ફરી એકવાર તેના પર હુમલો કર્યો હતો દરમિયાન એસ.ઓ.જી પી.આઈ એસ.એમ.જાડેજાને માજીદ હાલ જંગલેશ્વરમાં હોવાની માહિતી મળતા પીઆઇની રાહબરી હેઠળ પીએસઆઇ એન.વી. હરિયાણી તથા ટીમે અહીં પહોંચી કુખ્યાત આરોપી માજીદ રફીકભાઈ ભાણુંને ઝડપી લીધો હતો.
આરોપીને ભીસ્તીવાડમાં લઈ જઈ અહીં તેની પાસે ઉઠક બેઠક કરાવી જાહેરમાં માફી મંગાવી હતી. બાદમાં પ્ર.નગર પોલીસને સોંપી દેવાયો હતો. માજીદ સામે ગુજસીટોક પણ થઈ હોય આ ઘટના બાદ તે અમરેલી ભાગી ગયો હતો અને મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. ચાર દિવસ પહેલા જંગલેશ્વર આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો.ગુજસીટોકમાં આરોપી જામીન પર હોય તેની જામીન અરજી રદ કરવા પણ કાર્યવાહી કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech