જામનગરના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ બાલ હનુમાનજી ની આરતી માં જોડાઈ અખંડ રામધૂન બોલાવી
જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં ગઈકાલે રવિવારના દિવસે ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ દર્શન નો લાભ લીધો હતો, અને મહા આરતી માં જોડાયા હતા. ત્યારબાદ બાલ હનુમાનજી મંદિર પરિસરમાં ચાલી રહેલી અખંડ રામધૂન ના પાઠ માં પોતે જોડાયા હતા, અને પશ્રીરામ જયરામ જયજયરામથ ની રામધૂન બોલાવી હતી.
જેઓની સાથે ગુજરાત રાજ્ય કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ ભીખુભાઈ વારોતરીયા, જામનગર જિલ્લાના માજી કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદાઝ ઉપરાંત પૂર્વ વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ, તેમજ અગ્રણીઓ આનંદ ગોહિલ, પાર્થ પટેલ, વિનોદભાઈ ભાવસાર, શહેર કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ વાળા, ઉપરાંત જામનગર શહેર કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો પણ બાલા હનુમાનજી મંદિર ની આરતી માં જોડાયા હતા, અને સાથોસાથ રામધૂન બોલાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech