BREAKING NEWS

પીએમ મોદીના સોમનાથ કાર્યક્રમ માટે ૧૬૦૦ એસટી બસ ફાળવવા આદેશ

  • May 07, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૧૧–મે ના રોજ સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ત્યાં આગળ યોજાનારા તેમના કાર્યક્રમ માટે ૧૧૦૦ એસટી બસ ફાળવવા આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વિશેષમાં ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની રાજકોટ ડિવિઝન કચેરીના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ ગીર સોમનાથ (વેરાવળ)થી ૪૦૦, જૂનાગઢથી ૪૦૦, અમદાવાદથી ૧૬૦, રાજકોટથી ૧૬૦, ભાવનગરથી ૧૬૦, બોટાદથી ૧૦૦, પોરબંદરથી ૧૨૦ અને દ્રારકાથી ૧૦૦ સહિત કુલ ૧૬૦૦ બસ ફાળવવામાં આવશે. પ્રા માહિતી મુજબ સોમનાથ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં એકાદ લાખની મેદની એકત્રિત થશે તેવો પ્રાથમિક અંદાજ છે. તા.૧૧ના સવારે ૯:૩૦ કલાકે પ્રધાનમંત્રીનું સોમનાથમાં આગમન થશે અને બપોરે ૩:૩૦ કલાકે સોમનાથ ખાતેથી રવાના થશે તેમ જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application