BREAKING NEWS

જામનગર શહેર યાદવનગર આહીર સમાજના પ્રમુખ તરીકે પાલાભાઈ ચાવડાની સર્વાનુમતે વરણી...

  • November 03, 2025 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલ યાદવનગર વિસ્તારમાં આહીર સમાજના ઉત્થાન તેમજ સમાજમાં વિકાસના કાર્યોને વેગવતા બનાવવાની નેમ સાથે ગઈકાલે તારીખ 2-11-2025 ને રવિવારના રોજ યાદવનગર આહીર સમાજની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. 

આ બેઠકમાં યાદવનગર આહીર સમાજના નવા પ્રમુખ તરીકે પાલાભાઈ સવદાસભાઈ ચાવડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સમયે આહીર સમાજના આગેવાનો, સમાજના લોકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનીત પ્રમુખની વરણીને આવકારી હતી.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application