લોકડાયરો, આહીરાણી મહારાસ સહિતના કાર્યક્રમોનું આયોજન
જામખંભાળીયાના નવી મોવાણ ખાતે સમસ્ત ગોજીયા પરિવાર દ્વારા આગામી તા. 17 એપ્રિલથી પાંચ દિવસ ભવ્યાતી ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, આ તકે પંચબલી મહાયજ્ઞ મહોત્સવ સહિત કસુંબલ લોકડાયરો, આહીરાણી મહારાસ જેવા રંગારંગ કાર્યક્રમ યોજાશે. આ માટેની તડામાર તૈયારીઓ સહિત તમામ વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.
ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ તા. 17 અને બુધવારથી થશે, સવારે સમર્થ ધામ ખાતે પંચબલી મહાયજ્ઞ યોજાશે, જેમાં પ્રેતબલી, નાગબલી, નારાયણ બલી, ભૂતબલી સાથે અગિયાર જેટલા વાછરા વાછરડીને પરણાવાસે, જ્યારે તા. 18 ના રોજ નાગબલી શ્રાઘ્ધ યજ્ઞ, તા. 19 ના રોજ ભૂતબલી યજ્ઞ, તેમજ તા. ર0 ના દિને નારાયણ બલી શ્રાઘ્ધ યજ્ઞ, ઉપરાંત તા. ર1 ના રોજ નિલોત્સર્ગ શ્રાઘ્ધ યજ્ઞ યોજાશે.
તેમજ આજ દિવસે રાત્રે સૌરાષ્ટ્ર કચ્છની અસ્મિતા સમાન કસુંબલ લોકડાયરો યોજાશે, જેમાં લોકકલાના માહીર એવા ઇન્ટરનેશનલ કલાકાર માયાભાઇ આહીર સહિત સાથી કલાકારો બીરજુ બારોટ, લોક સાહિત્યકાર વજુભાઇ ગોજીયા સહિત રાતભર કલાના કામણ પાથરસે.
કાર્યક્રમની સાથે સાથે આહીરાણીઓનો મહારાસ યોજાનાર હોવાથી જ્ઞાતિની મહિલાઓમાં હર્ષોલ્લાસ છવાયો છે, આ તકે ગોજીયા પરિવારે આહીરાણી મહારાસમાં ટ્રેડીશ્નલ ડ્રેસ પહેરીને આવવા માટે અપીલ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech