કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીથી ખળભળાટ મચી ગયો હતો. એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું કે કોલકાતાથી સવારે 9:15 વાગ્યે ઉપડવાની ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકી મળતા જ મુસાફરો ગભરાઈ ગયા હતા.
ઇન્ડિગો ફ્લાઇટને આઇસોલેશન બેમાં ખસેડવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. બોર્ડિંગ દરમિયાન, ક્રૂ મેમ્બર્સને ટોઇલેટ કમ્પાર્ટમેન્ટની અંદર એક ચિઠ્ઠી મળી, જેમાં જણાવાયું હતું કે વિમાનમાં બોમ્બ છે. મુસાફરોને તાત્કાલિક વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. તપાસ હજુ પણ ચાલુ છે.
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરો અને વિમાનની સલામતી સુનિશ્ચિત કરવા માટે માનક સંચાલન પ્રક્રિયાઓ અનુસાર તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ફ્લાઇટ સસ્પેન્શનને કારણે મુસાફરોને નોંધપાત્ર અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application