લોકો રાણીબાગમાં આવતા ટીવી જોવા!

  • June 02, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં જ્યારે ઘરે-ઘરે ટેલિવિઝન ન હતા ત્યારે રાણીબાગ ખાતે ટી.વી.ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી અને લોકો આ ટી.વી. જોવા એકત્ર થતા હતા,ત્યારે આ બગીચાની જાળવણી અને જતન કરવા જ‚રી બન્યા છે.પોરબંદર શહેરની મધ્યમાં મહાનગરપાલિકા પોરબંદર સંચાલિત રાણીબાગ આવેલ છે જેનો એક સમયે ભુતકાળ ભવ્ય હતો.પાસે જ આવેલ કોર્ટ કચેરીમાં આવતા બહાર ગામના લોકો એક સમયે બગીચાના ઝાડ નીચે થોડી વાર બેસતા એસટી. બસના મુસાફરો ગામડાથી આવતા તે લોકો પણ આવતા.વડીલો સમય પસાર કરવા માટે સાંજના ચોકડી પતા રમતા અને તેની ફરતા ઘણા લોકોએ નિહાળેલ હસે એક સમયે જ્યારે ટેલિવિઝન કોઈ પાસે જ હતું ત્યારે રાણીબાગમાં રાત્રે ટેલિવિઝન જોવા ઘણા લોકો ભેગા થતા હતા. તે ટેલિવિઝન ‚મ આજે જર્જરીત હાલતમાં છે તેની ભવ્યત ની સાક્ષી પુરે છે. બરાબર આ ‚મની સામે ફુવારો બગીચાની શોભામાં વધારો કરતો હતો ટે ફુવારો સુકાઈ ગયો છે. ભુતકાળની ભવ્યતા એક સમયમાં હતી. બાળકો આ બગીચામાં આનંદ કરતા એ બગીચો ઉજ્જળ છે. બેસવા માટેના બાકડા તુટી ગયા છે.૧૯૫૪ માં માત્ર ૬૫૦૧ છ હજાર પાંચસો એકમાં દાતાના સહયોગ થી રાણી બાગના ગેટ પાસે આવેલ શ્રીકૃષ્ણ ટાવર આજે પણ અડીખમ ઉભો છે.તેની ભવ્યતા બતાવે છે.ટાવરના ઘડિયાળ ના કાટા ઘણાં સમયથી થંભી ગયા છે. બપોરના ઘણાં આજુ બાજુના નોકરિયાતવર્ગ, મજુરવર્ગ આ બગીચામાં બેસી ઝાડ ની નીચે આરામ થી ટિફિનમાંથી જમતા હતા. આજે આ બગીચો સુમસામ છે. એકલ દોકલ લોકો આ બગીચામાં જોવા મળે છે. ફરીથી આ બગીચામાં બાળકોનો કલરવ સંભળાય,વડીલોની મહેફીલ જામે,તે માટે યોગ્ય માવજત બગીચાની કરવી જરૂરી છે. બાળકો માટે રમત-ગમતના સાધનો. રાઇડની વ્યવસ્થા કરવી. ફુવારા ચાલુ કરી ફરી રોનક લાવવી જોઈએ તેવી પોરબંદરવાસીઓની માંગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application