ગોંડલમાં છેલ્લ ા દોઢ બે માસથી વિવિધ વિસ્તારોમાં દિવસનાં અનેકવાર વીજળી ગુલ થતી હોય લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય બફારા વચ્ચે લાઇટ વગર અકળાયેલા લોકોનાં ટોળા વીજ કચેરીએ દોડી જઇ ઉગ્ર રજૂઆત કરી રહ્યાની ઘટના રોજીંદી બની છે. ત્યારે ગત રાતે વારંવાર લાઈટ ચાલી જતી હોય પરેશાન બનેલા ગુંદાળા ચોકડી,ક્રિષ્ના સોસાયટી,ભગવતી તીર્થ પાર્ક,વસંત વાટીકા,અક્ષર વાટીકા,ગોકુલધામ સહિત વિસ્તાર માં રહીશો પીજીવીસીએલ કચેરીએ ધસી ગયા હતા. આ સમયે કોઈ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ હાજરના હોય રહીશોએ કચેરીએ બેસી રામધુન બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો.
ભગવતી તીર્થ પાર્કનાં રહીશ મહેશ સાવલીયાએ રોષભેર કહ્યુકે અમારા વિસ્તારમાં દોઢ મહીનાથી અવારનવાર લાઇટ ચાલી જાય છે.જો ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડતુ નથી.લાઇટ વગર અસહ્ય બફારામાં રહેવું મુશ્કેલ બન્યુ છે. વીજ તંત્ર કોઈ જવાબ આપવાને બદલે મનમાની ચલાવી રહ્યુ છે. અક્ષર સોસાયટીમાં રહેતા રાજેશ ભાલોડીએ ફરિયાદ કરી કે છેલ્લ ા દોઢ બે મહીનાથી દિવસ કે રાત્રીનાં કલાકો સુધી લાઇટ ચાલી જાય છે. તો ક્યારેક લો વોલ્ટેજ પાવર હોય છે. જેમાં પંખા પણ ધીમી ગતિથી ફરતા હોય તિવ્ર બફારામાં લોકો ત્રાહીમામ બન્યા છે. જો આ મુદ્દે યોગ્ય નહી થાય તો મહીલાઓ તથા બાળકો સાથે પીજીવીસીએલ કચેરીએ ધામા નાખી આંદોલન કરાશે.
ઉલ્લ ેખનીય કે થોડા દિવસો પુર્વે નાગડકા રોડનાં ખેડુતો વારંવારનાં વીજકાપથી ત્રાસી જઇ વિજ કચેરીએ દોડી જઇ ફરિયાદ કરી હતી.આ સમયે અગ્રણી મનસુખભાઈ સખીયાએ બે દિવસમાં વિજ પુરવઠો પુર્વવત નહી થાય તો તાળાબંધી સહિત આંદોલનની ચીમકી આપી હતી.
બીજી બાજુ કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈ એ પણ પીજીવીસીએલની લૌલમલોલ નીતિ સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પણ પીજીવીસીએલ તંત્ર નિંભર બન્યુ હોય તેમ આગેવાનોની રજૂઆતો કે ચીમકીને ઘોળીને પી જતુ હોય તેમ વારંવાર વીજકાપ્ની પરિસ્થિતિ યથાવત રહેવા પામી હોય કોઈ સુધારો થયો નથી. ત્યારે લાગે છે કે પીજીવીસીએલ તંત્ર કોઈ મોટા લોકઆંદોલનની રાહ જોઇ રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech