વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણા સરકારે રામ રહીમ પર મહેરબાની કરી છે અને જેલમાંથી ૨૧ દિવસની પેરોલ આપી છે. પોતાના આશ્રમની ૨ અનુયાયીઓ સાથે બળાત્કાર અને હત્યાના કેસમાંરામ રહીમ સજા ભોગવી રહ્યો છે. સુનારિયા જેલમાંથી મુકત થયેલો રામ રહીમ આ ૨૧ દિવસ દરમિયાન યુપીના બનવાડા સ્થિત આશ્રમમાં રહેશે. તાજેતરમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શિરોમણી ગુદ્રારા સંચાલક સમિતિની અરજીનો નિકાલ કર્યેા હતો. આ અરજીમાં જેલમાં બધં ડેરા સચ્ચા સૌદા ચીફની કામચલાઉ મુકિતને પડકારવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે અસ્થાયી મુકિત માટેની અરજી સક્ષમ અધિકારી દ્રારા કોઈપણ મનસ્વીતા અથવા પક્ષપાત વિના ધ્યાનમાં લેવી જોઈએ
૧૯ જાન્યુઆરીએ ૫૦ દિવસની પેરોલ આપવામાં આવી હતી}
સર્વેાચ્ચ ગુદ્રારા સંસ્થા એસજીપીસીએ સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમની અસ્થાયી મુકિત સામે અરજી દાખલ કરી હતી. એસજીપીસીએ દલીલ કરી હતી કે ડેરા ચીફ હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ માટે બહત્પવિધ સજા ભોગવી રહ્યો છે અને જો તેને મુકત કરવામાં આવશે તો તે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને જોખમમાં મૂકશે અને જાહેર વ્યવસ્થાને પ્રતિકૂળ અસર કરશે.રામ રહીમ તેના બે અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ ૨૦ વર્ષની સજા ભોગવી રહ્યો છે અને તે રોહતક જિલ્લાની સુનારિયા જેલમાં બધં છે. તેને ૧૯ જાન્યુઆરીએ ૫૦ દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો હતો
હાઈકોર્ટે ટકોર કરી
હાઈકોર્ટે તેના આદેશમાં શિરોમણી ગુદ્રારા સંચાલક સમિતિની દલીલને નકારી કાઢી હતી કે ડેરાના વડાને પેરોલ પર વિચારણા કરતી વખતે અને મંજૂર કરતી વખતે, હરિયાણા અટકાયતી (અસ્થાયી મુકિત) અધિનિયમ, ૨૦૨૨ ને બદલે હરિયાણા ધાર્મિક અટકાયતી (ટેમ્પરરી રીલીઝ) એકટ, ૧૯૮૮ પર વિચાર કરવો જોઈએ.કોર્ટે કહ્યું કે ડેરા ચીફના કેસમાં સક્ષમ અધિકારી ડિવિઝનલ પોલીસ કમિશનર છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ એ જોવા માંગે છે કે જો ડેરા ચીફ દ્રારા કામચલાઉ મુકિત માટેની કોઈપણ અરજી કરવામાં આવે છે, તો સક્ષમ અધિકારી દ્રારા ૨૦૨૨ ના કાયદાની જોગવાઈઓ અનુસાર અને મનસ્વીતા અથવા પક્ષપાત અથવા ભેદભાવ વિના તેને સખત રીતે ધ્યાનમાં લેવામાં આવે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech