મુહાજિરોની હેરાનગતિનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવો અને તેમને ન્યાય અપાવો.તેમણે લંડનમાં એક કાર્યક્રમ દરમિયાન આ અપીલ કરી હતી.પોતાના નિવેદનમાં, તેમણે બલૂચ લોકોને ટેકો આપવા બદલ પીએમ મોદીની પ્રશંસા કરી અને તેને એક હિંમતવાન અને નૈતિક રીતે પ્રશંસનીય પગલું ગણાવ્યું.
તેમણે પીએમ મોદીને વિનંતી કરી કે તેઓ મુહાજિર સમુદાય માટે પણ આવા જ સમર્થનનો અવાજ ઉઠાવે. અલ્તાફ કહે છે કે દાયકાઓથી મુહાજિરો પર અત્યાચાર અને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, જે સંપૂર્ણપણે રાજ્ય પ્રાયોજિત છે.તેમણે કહ્યું કે ભારતના ભાગલા પછી, પાકિસ્તાની લશ્કરી સ્થાપનાએ ક્યારેય મુહાજિરોને દેશના કાયદેસર નાગરિક તરીકે સંપૂર્ણપણે સ્વીકાર્યા નથી. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ સતત આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના અધિકારોની હિમાયત કરી રહ્યું છે પરંતુ અત્યાર સુધીમાં 25000 થી વધુ મુહાજિરો લશ્કરી કાર્યવાહીમાં મૃત્યુ પામ્યા છે અને હજારો ગાયબ થઈ ગયા છે.
પાકમાં મુહાજીરોનો અવાજ દબાવી દેવાની થઈ રહી છે કોશિશ
અલ્તાફ હુસૈન કહે છે કે હ્યુસ્ટન, યુએસએમાં પાકિસ્તાની કોન્સ્યુલ જનરલ આફતાબ ચૌધરીએ કાર્યક્રમ દરમિયાન એક વીડિયો રજૂ કર્યો હતો, જેમાં અલ્તાફ અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટને ભારતના એજન્ટ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે આવા આરોપો લગાવીને મુહાજિરોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનમાં મુહાજિરોને લાચાર છોડી દેવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુહાજિરોનો અવાજ ઉઠાવવો જોઈએ અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ આ સમુદાયના લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech