જામનગર જિલ્લામાં પંચાયતની ચૂંટણી, રથયાત્રા સંદર્ભે પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ

  • June 16, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને તેમજ રથયાત્રા ના તહેવારને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાયેલી રહે, તેના અનુસંધાને જામનગર જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ એસ.પી. પ્રેમસુખ ડેલુ ની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.


જેમાં લાલપુર વિભાગના આઈપીએસ અધિકારી પ્રતિભા, શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટર ના ડી.વાય. એસ.પી. વી. કે. પંડ્યા, જામનગર ગ્રામ્ય વિસ્તારના ડી.વાય.એસ.પી. આર.બી દેવધા, એલસીબીના પી.આઇ. વી. એમ. લગારીયા, એસ.ઓ.જી. ના પી.આઈ. બી. એન. ચૌધરી, જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર, ટ્રાફિક શાખાના પી.આઈ., ઉપરાંત જામનગર જિલ્લાના અન્ય તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.પી.ના રીડર પીએસઆઇ પી.એન. મોરી, સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
​​​​​​​

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા આગામી અષાઢી બીજને રથયાત્રાના તહેવાર દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે, તે બાબતે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News