ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝેરી દારૂના સેવનના કારણે લોકોના મોત થવા તેમજ કેટલાક નાગરિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાની અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવને પગલે વરતેજ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા જાહેર હિતમાં એક ખાસ વિનંતી અને કડક ચેતવણી જારી કરવામાં આવી છે, જેથી વધુ કોઈ નાગરિક આ ઝેરી પદાર્થનો શિકાર ન બને.
પોલીસ તંત્ર દ્વારા નાગરિકો માટે શંકાસ્પદ દારૂની બોટલ અને તેની ઉપર લગાવેલા સ્ટીકરના ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ પાસે આ પ્રકારની બોટલ કે સ્ટીકરવાળો દારૂ હોય તો તેનો તાત્કાલિક નાશ કરવો અને ભૂલથી પણ તેનું સેવન ન કરવું. સેવન કરવાથી જીવનું જોખમ ઊભું થઈ શકે છે.
જે વ્યક્તિઓએ આ બોટલ અથવા સ્ટીકરવાળા દારૂનું સેવન કર્યું હોય તેમને કોઈપણ જાતની રાહ જોયા વિના તાત્કાલિક નજીકના દવાખાના અથવા હોસ્પિટલમાં જઈને પોતાની તબિયતની સંપૂર્ણ ચકાસણી કરાવી લેવા આગ્રહભરી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, બોટલના ફોટામાં દર્શાવેલા બારકોડ અને તેની નીચે આપેલા નંબરને ખાસ ધ્યાનમાં રાખીને જાગૃત રહેવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application