દક્ષિણ પૂર્વ રેલવેના ખડગપુર ડિવિઝનમાં કોલાઘાટ સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન મોડી ઉપડશે. વિગતો નીચે મુજબ છે:
૧) ૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં ૭૫ મિનિટ મોડી દોડશે.
૨) ૯ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં ૩ કલાક મોડી દોડશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.