BREAKING NEWS

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાજકોટમાં આગમન, સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ

  • October 09, 2025 06:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રપતિ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓનું હીરાસર એરપોર્ટથી રાજકોટમાં આગમન થયું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હીરાસરથી સર્કિટ હાઉસ ખાતે તેમનો કાફલો પહોંચ્યો હતો. આજે રાત્રિ રોકાણ અહીં જ સર્કિટ હાઉસ ખાતે કરશે. જેને લઈને સર્કિટ હાઉસને પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. 


આવતીકાલે સોમનાથ અને સાસણગીર જશે

આવતીકાલે સવારે 10:00 વાગ્યે તેઓ સર્કિટ હાઉસથી હીરાસર એરપોર્ટ જવા રવાના થશે. હીરાસર એરપોર્ટ પરથી તેઓ સીધા જ સોમનાથ જવા રવાના થશે. સોમનાથ ખાતે બપોરે 12:00 વાગ્યે તેઓ સોમનાથ દાદા દર્શન કરશે અને ત્યારબાદ બપોરનું ભોજન લેશે. ભોજન બાદ તેઓ સાસણ ખાતે સિંહ દર્શન માટે જવા રવાના થશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે.


11મીએ દ્વારકાધીશના દર્શન કરશે

11 ઓક્ટોબરે સવારે તેઓ સાસણ ખાતેથી સીધા જ દ્વારકા જવા રવાના થશે. દ્વારકા મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન અને બપોરનું ભોજન લીધા બાદ તેઓ જામનગર એરપોર્ટ ખાતે પહોંચશે. જામનગરથી તેઓ સીધા જ અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application