ફ્રાન્સમાં તાજેતરમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્ર્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તેમણે ટિટર પર ટીટ કયુ કે તે ૨૦૨૭માં ચૂંટણી લડશે નહી.
ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સ્પષ્ટ્ર કયુ છે કે તેઓ ૨૦૨૭માં ફરીથી રાષ્ટ્ર્રપતિ પદની ચૂંટણી લડશે નહીં. આ મારી છેલ્લી ટર્મ છે, જેને હત્પં પૂરી રીતે પૂરી કરીશ. મારા માટે, ફકત તે જ બાબતો મહત્વપૂર્ણ છે જે આપણા રાષ્ટ્ર્રના હિતમાં છે.મેક્રોને કહ્યું કે તેમનું ધ્યાન વ્યકિતગત મહત્વાકાંક્ષાઓને બદલે ફ્રાન્સના લાંબા ગાળાના હિતો પર છે.
આ ટીટ પછી સ્પષ્ટ્ર થઈ ગયું છે કે મેક્રોન ૨૦૨૭માં ત્રીજા કાર્યકાળ માટે ચૂંટણીની રેસમાંથી બહાર રહેશે. તેમણે તેમના વર્તમાન કાર્યકાળને સંપૂર્ણ નિા સાથે પૂર્ણ કરવાની વાત કરી હતી. આ સિવાય તેણે પોતાના ટિટમાં ફ્રાંસના ભવિષ્ય અને રાષ્ટ્ર્રીય હિતોને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી.
રાષ્ટ્ર્રપતિ મેક્રોને ફ્રાન્સના જમણેરી અને ડાબેરી પક્ષોની ટીકા કરતો એક વીડિયો બહાર પાડો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે જમણેરી અને ડાબેરી પક્ષોએ સાથે મળીને એક મોરચો બનાવ્યો હતો જેનો ઉદ્દેશ્ય સરકારને તોડી પાડવાનો હતો. તેણે તેને પ્રજાસત્તાક વિરોધી મોરચો ગણાવ્યો.
મેક્રોને કહ્યું કે હત્પં આગામી થોડા દિવસોમાં નવા વડાપ્રધાનની નિમણૂક કરીશ. તેમણે એમ પણ કહ્યું કે નવા વડાપ્રધાન જનહિતમાં સરકાર બનાવવા માટે જવાબદાર હશે, જેમાંથી પ્રથમ બજેટ પસાર કરવાનું રહેશે.
મેક્રોને વધુમાં કહ્યું કે, તમે મને જે પાંચ વર્ષનો કાર્યકાળ આપ્યો છે તે હત્પં ૨૦૨૭ સુધી પૂર્ણ કરીશ. તેણે મરીન લે પેનની પાર્ટી 'નેશનલ રેલી' પર આરોપ લગાવ્યો કે તે ૨૦૨૭ની રાષ્ટ્ર્રપતિ ચૂંટણીની તૈયારી કરી રહી છે અને આ માટે દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિએ એ પણ સ્વીકાયુ કે આ ઉનાળામાં વહેલી સંસદીય ચૂંટણી યોજવાના નિર્ણયને લોકો યોગ્ય રીતે સમજી શકયા નથી. તેણે કહ્યું, ઘણા લોકો આ માટે મને દોષી ઠેરવે છે. હત્પં જાણું છું કે ઘણા હજી પણ મને દોષ આપે છે. આ હકીકત છે અને મારી જવાબદારી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PM૫ોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે યોજાયું સફાઈ અભિયાન
May 02, 2025 02:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech