અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે ખુશીના સમાચાર છે. એરપોર્ટ પર 'ઉડાન યાત્રી કાફે'ની શરૂઆત થઈ છે, જ્યાં મુસાફરોને સસ્તા દરે ચા-પાણી અને નાસ્તો મળશે. એરપોર્ટ ટર્મિનલ વન ખાતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપૂ નાયડુના હસ્તે આ કાફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દિલ્હી અને ચેન્નાઈ એરપોર્ટ બાદ હવે અમદાવાદમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
'ઉડાન યાત્રી કાફે'માં મુસાફરોને 10 રૂપિયામાં ચા અને પાણીની બોટલ મળશે, જ્યારે 20 રૂપિયામાં સમોસા અને કોફી મળશે. અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર દરરોજ અંદાજિત 30,000 મુસાફરોની અવરજવર રહે છે, જેમને આ કાફેથી ફાયદો થશે. મુસાફરોને એરપોર્ટ પર સસ્તા દરે ભોજન મળી રહે તે માટે આ કાફે શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદ બાદ હવે વિજયવાડા અને ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર પણ 'ઉડાન યાત્રી કાફે' શરૂ કરવામાં આવશે. મુસાફરોને સસ્તા દરે ભોજન અને પીણાં મળી રહે તે માટે સરકાર દ્વારા આ પહેલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના દાગીનાનું વેચાણ ધીમું પડ્યું, લોકો દ્વારા સ્ટડેડ દાગીનાની પસંદગી
June 17, 2025 01:03 PMદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech