વાંકાનેર શહેરમાં રાજપૂત સમાજ દ્વારા પરસોતમભાઈ રૂપાલા વિરૂધ્ધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી સમાજ વિશે વિવાદીત નિવેદન આપનાર સામે ફોજદારી ગુનો નોંધી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી વાંકાનેર ક્ષત્રીય સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. આ સાથે જ આગામી દિવસોમાં જો પરસોતમ રૂપાલાની રાજકોટ બેઠક પરથી ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રીય સમાજ દ્વારા તેમના વિરૂધ્ધમાં કાર્યક્રમો કરવામાં આવશે અને તેના વિરૂધ્ધમાં મતદાન પણ કરવાની ચીમકી સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. વેરઝેર વધે તેવા શબ્દો ઉપયોગ કરેલ હોય જે કૃત્ય ફોજદારી કલમ મુજબ ગુનાહીત થતું હોય જેથી તેના પર ફોજદારી કલમ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી યોગ્ય સજા કરવામાં આવે તેવી વાંકાનેર તાલુકાના ક્ષત્રીય સમાજની માંગણી હોવાનું જણાવાયું છે. આ બાબત ક્ષત્રીય સમાજ દ્વારા આવેદન પત્રમાં જણાવાયું છે કે, પુરૂષોતમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રીય સમાજની માનહાની થઈ છે અને ક્ષત્રીય રાજપૂત સમાજની લાગણી દૂભાણી છે. આવા નિવેદનથી રૂપાલાએ જ્ઞાતિ-જાતિમાં વ્યમનશ્ય ઉભું કરી જાતિના નામે મત માંગી આદર્શ આચાર સંહિતાનો ભંગ કરેલ છે અને ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech