કૌટુંબીક ભાઇઓ વચ્ચેની બબાલથી ચકચાર : ઇજાગ્રસ્તોને જામનગર ખસેડાયા
લાલપુરના સણોસરી ગામમાં માથાકુટ થતા ભારે દોડધામ મચી ગઇ હતી, હુમલામાં 3 વ્યકિતને ઇજા થતા સારવાર માટે જામનગર જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ લાલપુરના સણોસરી ગામ ખાતે વાડીમાથી રસ્તો કાઢવા બાબતે બોલાચાલી થતા કૌટુંબીક ભાઇઓ વચ્ચે ડખ્ખો થયાનું જાણવા મળ્યું છે, દરમ્યાન હથિયારોથી હુમલો કરાતા 3ને ઇજા પહોચી હતી.
ઇજાગ્રસ્તોમાં રણમલભાઇ ગાગલીયા (ઉ.વ.45), ભરત વીરાભાઇ ગાગલીયા (ઉ.વ.37) અને સામત નાથા ગાગલીયા (ઉ.વ.35) નો સમાવેશ થાય છે આ ત્રણેયને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, બનાવની જાણ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને પ્રાથમિક વિગતો જાણી હતી દરમ્યાન ફરીયાદ લેવા તજવીજ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવન-ટાઇમ જીએસટી માફી યોજના હેઠળ વેપારીઓને મળશે મોટી રાહત
May 03, 2025 02:44 PMબાળકના હાથ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના ગુનેગારને આજીવન કેદ, દંડ
May 03, 2025 02:36 PMરાજકોટની એવી આંગણવાડી.. જ્યાં ભૂલકાંને પાણી પીવાનું રીમાઇન્ડર આપવા વાગે છે વોટર બેલ!
May 03, 2025 02:18 PMપ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ '25ની યાદીમાં ભારત 151મા ક્રમે
May 03, 2025 02:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech