રાજકોટમાં આરટીઓ કચેરી પાછળ શ્રીરામ સોસાયટીમાં મકાનમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહેલા બોગસ તબીબને એસોજીએ ઝડપી લીધો હતો. પોલીસે બરોડા દરમિયાન અહીંથી એલોપેથિક દવા, ઇન્જેક્શન સહિત રૂ.17,153 નો મુદ્દામાલ કબજે કરી ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોનો આરોગ્ય સાથે ચેડા કરનાર મૂળ ગીર સોમનાથના તાલાળાના આકોલવાડીના આ શખસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે પુછતાછ કરતા આ શખસ પાસે બિહારાનું પ્રમાણપત્ર મળી આવ્યું હતું. જેના આધારે તે તબીબ બની છેલ્લા ૧૦ વર્ષથી અહીં કલિનિક ચલાવતો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, એસ.જી.પી.આઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.બી.ધાસુરા, એએસઆઈ ફિરોજભાઈ શેખ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ કિશોરભાઈ ઘુઘલ, અમિતકુમાર ટુંડિયાને મળેલી બાતમીના આધારે શહેરના જુના માર્કેટિંગ યાર્ડ પાસે આરટીઓ ઓફિસની પાછળ શ્રીરામ સોસાયટી શેરી નંબર-૧ માં મકાન નંબર 10 -એ માં દરોડો પાડ્યો હતો.
અહીં એક શખસ પોતાની ડોક્ટર તરીકે ઓળખ આપી ક્લિનિક ચલાવતો હોય જેથી પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ હરેશ સવજીભાઈ મારૂ (ઉ.વ ૫૮) (રહે. હાલ શ્રીરામ સોસાયટી શેરી નંબર-૧, મૂળ આકોલવાડી તા. તાલાળા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખ્સ પાસેથી મેડિકલ પ્રેક્ટિસ અંગેની ડિગ્રી માંગતા તેની પાસે આવી કોઈ ડીગ્રી ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે અહીંથી હોસ્પિટલના સાધનો એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન સહિત કુલ રૂપિયા 17,153 નો મુદ્દામાલ કબજે કરી આ શખ્સ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં આરોપી પાસે રાજકીય આયર્વેદિક અને યુનાની ચિકિત્સા પરિષદ બિહારનુ પ્રમાણપત્ર મળી આવ્યું હતું.જેના આધારે તે ગુજરાતમાં મેડિકલ પ્રેકટીસ ન કરી શકે.આ શખસ આ પ્રમાણપત્રના આધારે ૧૦ વર્ષથી અહીં ઘરમાં કલિનિક ચલાવી લોકોના ઇલાજ કરતો હતો.આ શખસે બીએસસીનો અભ્યાસ કર્યો હોવાનું માલુમ પડયું છે. બનાવ અંગે વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એન.કાલોત્રા ચલાવી રહ્યા છે.
બાટલા ચડાવવાના હોય તો ઉપરના રૂમમાં લઇ જતો
ડિગ્રી વગર કિલિનિક ચલાવતા હરેશ સવજીભાઈ મારૂને એસઓજીએ ઝડપી લીધા બાદ તેની પુછતાછ કરતા તેના બે માળના મકાનમાં તે નિચેના માળે કિલિનિક ચલાવતો હતો.કોઇને શંકા ન જાય માટે કોઇ બોર્ડ પણ લાગાવ્યું હતં. જો કોઇ દર્દીની હાલત વધુ ખરાબ હોય બાટલા ચડવવાની જરૂરિયાત હોય તો તેને ઉપરના માળે આવેલા રૂમમાં લઇ જતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech