પોરબંદરના દરિયાકિનારે અસ્માવતી ઘાટ ખાતે માછીમારોએ સફાઈ અભિયાન યોજીને ત્રણ કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કર્યું હતુ. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણને ઘણું નુકસાન પહોંચાડે તેથી લોકોમાં જનજાગૃતિ લાવીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણનું સંરક્ષણ થાય તે માટે આગામી ૫ જુન એટલે "વિશ્ર્વ પર્યાવરણ દિવસ" સુધી પોરબંદર વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.જે અંતગર્ત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, પોરબંદર દ્વારા અસ્માવતી ઘાટ પોરબંદર ખાતે ત્રણ કિલો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો,અસ્માવતી ઘાટ ખાતે માછીમારોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પ્રદુષણ રોકવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને માછીમારો દ્વારા પ્લાસ્ટિકનો કચરો ભેગો કરવામાં આવ્યો.જેમાં આશરે ૨૫ જેટલા માછીમારોએ ભાગ લીધો હતો અને ત્રણ કિલો પ્લાસ્ટિકનો કચરો ભેગો કરવામાં આવ્યો હતો.અને માછીમારોએ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સહમતી દર્શાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech