ઓનલાઇન ફ્રોડ થાય તો ટોલ ફ્રી નંબર ૧૯૩૦ પર તુરંત કોલ કરવા અનુરોધ કરતાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું
જામનગર તા.૨ ઓગસ્ટ, જામનગર જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં જામનગર જીલ્લાની સાયબર ક્રાઈમ અંગે કામગીરી જેવી કે, લોકોના સાયબર ક્રાઈમમાં બ્લોક કરાવેલ નાણા, સાયબર અવેરનેસ, નાણા પરત (રીફંડ) જેવી પ્રજાલક્ષી કરવામા આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગ્રુતતા આવે તે અંગે વિગતો આપવામાં આવી હતી.
જો આપની સાથે પણ સાઇબર ક્રાઇમ થાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 નંબર ઉપર ફોન કરવો તેમ જ નેશનલ ટાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર www.cybercrime.gov.in ઉપર પણ જાણ કરી શકાય છે આ હેલ્પલાઇન 24 x 7 દરમ્યાન કાર્યરત રહે છે. આ હેલ્પલાઇન મારફતે કોઇપણ નાગરીક કોઇપણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઇન ફરીયાદ આપી શકે છે. આ ઓનલાઇન ફરીયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, જામનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. સાયબર ફ્રોડના કિસ્સામાં સર્વે નાગરિકોને તુરંત જ ૧૯૩૦ નંબર પર સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું દ્વારા જણાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PM૫ોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે યોજાયું સફાઈ અભિયાન
May 02, 2025 02:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech