રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બિગ બજાર સામે આવેલી એટલાન્ટિસ નામની હાઈરાઈઝ બિલ્ડિંગમાં શુક્રવારે ધુળેટીના દિવસે અહીં ડી વિંગમાં છઠ્ઠા મળે આગ ભભૂકી ઊઠી હતી. જે આગમાં ત્રણ નિર્દેાષ યુવાનોના જીવ ગયા હતા. આગની આ ઘટના બાદ પ્રાથમિક તપાસમાં અનેક બેદરકારીઓ થતી થઈ હતી. ત્યારે આ મામલે તપાસ ચલાવી રહેલી માલવીયાનગર પોલીસે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી બિલ્ડીંગ સંબંધિત કેટલીક મહત્વની માહિતીઓ માંગી છે. જે મળી ગયા બાદ ગંભીર બેદરકારી દાખવનાર જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ બિલ્ડિંગમાં આગ શોટ સર્કીટથી લાગી હોવાનું પ્રથામિક તારણ સામે આવ્યું હતું.પરંતુ હજુ સુધી આગ સચોટ કારણ જાણી શકાયું નથી. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આગનું કારણ જાણી શકાશે.
ધુળેટીના દિવસે એટલાન્ટિસ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે દોઢ કલાકની જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં વીર સાવરકરનગર આવાસ યોજનામાં રહેતો અને સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો અજય ખીમજીભાઇ મકવાણા (ઉ.વ ૩૧) તથા મૂળ ઉના પંથકનો વતની અને હાલ સાધુ વાસવાણી રોડ પર ન્યુ અંબિકા પાર્ક સોસાયટીમાં રહી બ્લીન્કીટના ડિલિવરી બોય તરીકે નોકરી કરનાર કલ્પેશ પીઠાભાઈ લેવા (ઉ.વ ૨૯) અને તેનો ભત્રીજો મયુર વિનુભાઈ લેવા(ઉ.વ ૨૧) આગની ચપેટમાં આવી જતા તેમના મોત થયા હતા.
આગની આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, આરએમસી અને ફાયરને પત્ર પાઠવવામાં આવ્યા છે જેમાં કોની શું જવાબદારી હતી? ફાયર એનઓસી રીન્યુ કરવાની જવાબદારી કોની હતી? બાંધકામ બધું પ્લાન મુજબ હતું કે કેમ? પ્લાનમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો હતો કે કેમ? ખરેખર કેટલા માળની પરમિશન આપવામાં આવી હતી ઇમ્પેકટ ફી ભરી બાંધકામને રેગ્યુલરાઈઝ કરાયું હતું કે કેમ? સહિતની માહિતીઓ માંગવામાં આવી છે. સૌથી અગત્યની વાત એ છે કે, ફાયર એનઓસી રીન્યુ કરાવવાની જવાબદારી એસોસિએશનની હતી કે પછી બિલ્ડરની? સહિતની માહિતી પણ માંગવામાં આવી છે. જે માહિતી મળ્યા બાદ જવાબદારી નક્કી થશે અને બાદમાં પોલીસ દ્રારા જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં આવે તેવા સ્પષ્ટ્ર નિર્દેશો મળી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech