યુપીમાં હાજીઓથી ભરેલી ફ્લાઇટ લેન્ડ થતા જ પૈડામાંથી તણખા નીકળતા દોડાદોડી

  • June 16, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમદાવાદની પ્લેન ક્રેશની ઘટના હજુ તાજી જ છે ત્યાં યુપીના લખનૌ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બનતા સહેજ માં રહી ગઈ હતી. સાઉદી અરેબિયાના જેદ્દાહથી ફ્લાઇટ એસવી ૩૧૨ ના લેન્ડિંગ દરમિયાન, વિમાનના પૈડામાંથી તણખા અને ધુમાડો નીકળવા લાગ્યો. આ વિમાનમાં લગભગ ૨૫૦ હજ યાત્રીઓ સવાર હતા.આ ફ્લાઇટ સવારે ૬:૩૦ વાગ્યે લખનૌ પહોંચી. વિમાન રનવે પર ઉતરતાની સાથે જ તેના એક પૈડામાંથી તણખા નીકળતા જોવા મળ્યા. એરપોર્ટ સ્ટાફે તાત્કાલિક સતર્કતા દાખવી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. જ્યારે મુસાફરોને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ ગભરાઈ ગયા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે, વિમાનને ટેક્સીવે પર પાછું ધકેલી દેવામાં આવ્યું. મુસાફરોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.


12મી જુને બનેલી અમદાવાદની દુર્ઘટના ભારતના ઉડ્ડયન ઇતિહાસની સૌથી પીડાદાયક અને ભયાનક ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. સરકારી એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે અને પ્રારંભિક અહેવાલો અનુસાર, ટેકનિકલ ખામીને અકસ્માતનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. આ અકસ્માતને કારણે આખો દેશ ઊંડા આઘાત અને શોકમાં છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોની પોતાની વાર્તાઓ છે, જે ધીમે ધીમે પ્રકાશમાં આવી રહી છે.ત્યારે હવે કોઈ પણ વિમાની અકસ્માત લોકોની ચિંતા વધારી દે તેમાં બે મત નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News