પુરી રથયાત્રા દરમિયાન મોટો અકસ્માત થયો હતો. ભગવાન બલભદ્રનો રથ ખેંચતી વખતે એક ભક્તનો શ્વાસ રૂંધાતા એક ભક્તનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે.
પુરી જગન્નાથ રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બલભદ્રજીનો રથ ખેંચી રહ્યા હતા ત્યારે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન 400 થી વધુ ભક્તો નીચે પડી ગયા હતા. આ ઘટનામાં એક શ્રદ્ધાળુનું મોત થયું હતું. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 50 થી વધુ શ્રદ્ધાળુઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભગવાન જગન્નાથના નંદીઘોષ રથને ખેંચવાની પ્રક્રિયા જેવી શરૂ થઈ એ દરમિયાન ભક્તો વચ્ચે અચાનક ધક્કા મુક્કી થઈ હતી. જેના કારણે 400થી વધુ ભક્તો નીચે પડી ગયા હતા. આ દરમિયાન પડી ગયેલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા.
50 શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ
ઘાયલ થયેલા તમામ શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 50 થી વધુ શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન અન્ય ઘાયલ ભક્તોની પુરીની મુખ્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે કે મૃતક ભક્ત ઓડિશા બહારનો હતો. જોકે મૃતક ભક્તની ઓળખ થઈ શકી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech