રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરને સાઉથ કોરિયામાં યોજાનાર ક્લાઇમેટ ચેન્જ અંગેની કોંફરન્સમાં હાજરી આપવા નિમંત્રણ મળ્યું હતું. મેયર અને ચેરમેન બન્નેને નિમંત્રણ હતું પરંતુ મહાપાલિકા કચેરીમાં બન્ને મુખ્ય પદાધિકારીની ગેરહાજરી ન ચાલે તેથી જયમીનભાઇ ઠાકરએ સ્વેચ્છાએ વિદેશ પ્રવાસનો ત્યાગ કર્યો હતો અને તેઓ અહીં ઉપસ્થિત રહી અરજદારોને સાંભળશે તેમ જાહેર કર્યું હતું. વિદેશ પ્રવાસનો ત્યાગ કર્યા બાદ મેયરના વિદેશ પ્રવાસની દરખાસ્ત તેમણે મંજુર કરી હતી.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા આગામી તા.૧૩થી ૧૭ એપ્રિલ દરમિયાન સાઉથ કોરિયાના હવાઇ પ્રવાસે ઉડાન ભરશે. સાઉથ કોરિયામાં ક્લાઇમેટ ચેન્જ અંગે યોજનારી કોન્ફરન્સમાં સમગ્ર સાઉથ એશિયાના વિવિધ દેશોના મહાનગરોના મેયર સાથે વાર્તાલાપ કરશે.ઇકલી સંસ્થા દ્વારા રાજકોટના મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરને ગોયાંગ સ્પેશીયલ સિટી, ગ્યોન્ગી પ્રાંત, રિપબ્લીક ઓફ સાઉથ કોરિયા ખાતે તા.૧૩ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમ્યાન આયોજિત વર્લ્ડ લોકલ ગવર્મેન્ટ ક્લાઇમેન્ટ સમિટમાં ભાગ લેવા ઇકલી (સાઉથ એશિયા) દ્વારા આમંત્રણ મળ્યું હતું જેમાં જવા માટે મેયર ઇચ્છુક હોય આ અંગે સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં વિદેશ પ્રવાસની મંજૂરી અંગેની દરખાસ્ત મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા રજૂ કરવામાં આવી હતી જેને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઈ ઠાકર સહિતના સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે આ વિદેશ પ્રવાસનો ખર્ચ ઇકલી સંસ્થા ભોગવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech