બાકી લેણાં બાબતે નિયમ અનુસાર કાર્યવાહી કરવા અપાયા સૂચનો
સલાયા નગરપાલિકામાં બુધવારે સાંજે ગુજરાત રાજ્ય પ્રાદેશિક નગરપાલિકા નિયામક દ્વારા આકસ્મિક વિજીટ કરાઈ હતી. જેમાં કમિશનર શ્રી દ્વારા નગર પાલિકાની કામગીરીનું જીણવટ પૂર્વક અભ્યાસ કર્યો હતો અને સરકાર દ્વારા વિકાસકાર્યો અર્થે આવેલ ગ્રાન્ટ બાબતે જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ લોક ફરિયાદો બાબતે પણ નગરપાલિકાને જરૂરી સૂચનાઓ આપી હતી.
સલાયા નગર પાલિકા દ્વારા વેરાની વસુલાત બાકી છે તે બાબતે તુરંત જડપી કાર્યવાહી નિયમ અનુસાર કરવા જણાવેલ હતું. અંદાજે 1 કરોડથી ઉપરના વેરા બાકી હોઈ નગરપાલિકાએ આખરી નોટિસો પણ બજવી દીધી છે. જે બાબતે કડક કાર્યવાહી કરવા કમિશનર દ્વારા સૂચનો આપ્યા હતા.
આ સમયે સલાયાના બે સમાજિક કાર્યકર અવેષ બ્લોચ તેમજ સબિર ભોકલ દ્વારા સલાયાના પડતર પ્રશ્નો ભૂગર્ભ ગટર, પાણી વિતરણ અને કર્મચારીના પગાર બાબતે રજુઆત કરી હતી. જે બાબતે પણ યોગ્ય કરવા કમિશનરે ખાતરી આપી હતી. બાદમાં સલાયાના અમુક વિસ્તારોની કમિશનર સાહેબે જાત મુલાકાત લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech