એક્ટરની બહેન શ્વેતાના ખુલાસાથી સૌ કોઈ દંગ
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ આધ્યાત્મિક છે. તેમણે દાવો કર્યો છે કે તે સુશાંતને અનુભવી શકે છે. મર્યા પછી સુશાંત ક્યાં છે તે પણ બહેન કીર્તિએ જણાવ્યું. શ્વેતા સિંહ કીર્તિએ દાવો કર્યો છે કે મૃત્યુ બાદ એકવર્ષ સુધી સુશાંતની આત્મા શાંત નહોતી.
પોડકાસ્ટમાં કહ્યું કે કૈલાશ પર હવે ખુશ છે સુશાંત.
સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદથી તેની બહેન શ્વેતાએ ઘણો સમય સાધનામાં વિતાવ્યો. તે પોતાના ભાઈને ગુમાવવાનાં દુ:ખને સહન નહોતી કરી શકી. તેણે વિપાસનાથી લઈને મેડિટેશન સુધીનાં અનેક રસ્તાઓ અપનાવ્યાં છે. શ્વેતાએ કહ્યું કે સુશાંત પ્યોર અને સ્ટ્રોંગ આત્મા છે. તે જ્યારે ઈચ્છે ત્યારે પોતાની હાજરીનો અનુભવ કરાવી શકે છે. તેમણે એવી અનેક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. બહેને કહ્યું કે તેમણે સુશાંતને કૈલાશમાં જોયો હતો
"એક વર્ષ સુધી સુશાંતની આત્માને શાંતિ નહોતી મળી"
શ્વેતા સિંહ કીર્તી સુશાંતની બહેન અને એક રાઈટર છે. તેમણે પેઇન નામક એક બુક પણ લખી છે જેમાં તેમણે પોતાની સાધના અને ભક્તિનાં અનુભવો ટાંક્યા છે જેથી કોઈ પોતાના નજીકીથી અલગ થયાનાં વિરહને સહન કરી શકે. પ્રીતિકા રાવનાં પોડકાસ્ટમાં શ્વેતાએ સુશાંત વિશે વાત કરતાં કહ્યું કે એક વર્ષ સુધી સુશાંતની આત્માને શાંતિ નહોતી મળી...હવે ભાઈ કૈલાશમાં છે.
"કૈલાશ પર ખુશ છે સુશાંત"
બહેને કહ્યું કે સુશાંત કૈલાશમાં શિવજીની સાથે છે. ત્યાંથી તે બધાને જોઈ રહ્યો છે. શ્વેતાએ જણાવ્યું કે સુશાંત ઘણી સ્ટ્રોંગ એનર્જી છે અને તે કૈલાશ પર ઘણી પોઝિટિવ એનર્જીથી ઘેરાયેલો છે. તેઓ ત્યાં ખુબ ખુશ છે. શ્વેતાએ જણાવ્યું કે તે ક્યારેય પણ કૈલાશ ગઈ નથી પણ પોતાના વિઝનમાં તેમણે સુશાંતને કૈલાશ પર જોયું છે.
"તે કૈલાશમાં શિવજીની સાથે છે"
શ્વેતાએ એવું પણ કહ્યું કે પહેલાં મને લાગતું હતું કે તેની આત્મા શાંત નથી. પણ પછી અનુભવ થયો કે સુશાંત કૈલાશમાં છે..સારી જગ્યા પર છે. તે કૈલાશમાં શિવજીની સાથે છે, ખુશ છે પણ હજુ પણ તે ત્યાંથી બધું જ જોઈ રહ્યો છે. સુશાંત બધા માટે પોઝિટિવ એનર્જી મોકલી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PM૫ોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે યોજાયું સફાઈ અભિયાન
May 02, 2025 02:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech