તળાજા તાલુકાના મીઠીવીરડી ગામના દરિયા કિનારે સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ સ્થળ પર પહોચી હતી. અને સિંહના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો. સાથેજ આ મામલે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તળાજા તાલુકાના મીઠીવીરડી ગામે દરિયા કિનારે સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃત સિંહ યુવાવયનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. વનવિભાગના જણાવ્યા અનુસાર સિંહને કોઈ બાહ્ય ઇજાઓ થઇ હોવાનું જણાઈ આવ્યું નથી.
આમ સિંહના મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું ન હતું. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. રિપોર્ટ આવ્યેથી સિંહના મૃત્યુનું કારણ જાણવા મળશે. સિંહનો મૃતદેહ મળી આવતા મીઠીવીરડી સહિત આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વનવિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ રારૂ કરી હતી. અચાનકથી સિંહનો મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકો પણ વિચારમાં મુકાઈ ગયા હતા. દરિયાકાંઠે સિંહનો મૃતદેહ કેમ મળી આવ્યો તે વનવિભાગ માટે પડકારરૂપ બન્યું હતું. પ્રાથમિક તપાસમાં કોઈ શિકારની શક્યતા નકારવામાં આવી હતી. વિશેષજ્ઞોની ટીમ સમગ્ર વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરશે. જોકે આ વિસ્તારમાં સિંહની પ્રવૃત્તિ અંગે વનવિભાગ પહેલાથી જ ચિંતિત હતું. દરિયાકાંઠાના આ દુર્લભ ઘટનાએ વન્યપ્રેમીઓમાં ચિંતા ઊભી કરી હતી. સ્થાનિક લોકો દ્વારા સિંહના મૃતદેહને લઈ વિવિધ તર્ક- વિતર્ક કરવામાં આવી રહ્યા હતા. આ વિસ્તારમાં અન્ય સિંહોની સ્થિતિ પર પણ વનવિભાગનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. સિંહોના સુરક્ષા માટે વિશેષ કાર્યવાહી કરવી જરૂરી બની છે. સિંહના અચાનક મોત પાછળ કુદરતી કે માનવસર્જિત કારણો છે તે અંગે અટકળો ચાલુ થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech